જામીનગીરી આપવાનો હુકમ - કલમ : 136

જામીનગીરી આપવાનો હુકમ

તે તપાસ ઉપરથી એવું સાબિત થાય કે જેના વિષે તપાસ કરવામાં આવી હોય તે વ્યકિત યથા પ્રસંગ સુલેહ જાળવવા કે સારા વતૅન માટે મુચરકો અથવા જામીનખત કરી આપે તે જરૂરી છે તો મેજિસ્ટ્રેટ તે અનુસાર હુકમ કરશે.

(એ) કલમ-૧૩૦ હેઠળ થયેલ હુકમમાં નિદિષ્ટ થયેલ જામીનગીરી કરતાં જુદા પ્રકારની કે વધુ રકમની કે લાંબી મુદત માટેની જામીનગીરી આપવાનો કોઇ વ્યકીતને હુકમ કરી શકાશે નહી.

(બી) કેસના સંજોગો યોગ્ય રીતે ધ્યાનમાં લઇને દરેક મુચરકાની કે જામીનખતની રકમ નકકી કરવામાં આવશે અને તે વધુ પડતી હોવી જોઈશે નહી.

(સી) જે વ્યકિતના વિશે તપાસ કરવામાં આવી હોય તે બાળક હોય તો મુચરકો માત્ર તેના જામીનોએ આપવો જોઇશે.